2
 
 
 
સામાજિક સંસ્થાઓની માહિતી
 
 
 
 
      શ્રી પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-ભાયાવદર  
     
 
મેનેજીંગ ટ્રસ્ટીશ્રી બાબુભાઈ કે.જીવાણી
પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ બી.માણાવદરીયા
 
     
 
     શ્રી પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ભાયાવદર આ સંસ્થાનો મુખ્ય હેતુ આર્થિક મદદ કરવી અભ્યાસ માટે લોન આપવી તેમજ સ્કોલરશીપ આપવી અને દાતાઓ પાસેથી દાન લેવું આવેલ દાનની રકમ મુજબ વિદ્યાર્થીઓને મદદ કરવી.
 
     
      ભાયાવદરનું આદર્શ પાંજરાપોળ  
 
’’શ્રી ભાયાવદર ગૌ સેવા સમાજ’’ની સ્થાપના તા ૮-પ-૧૯૬૩ ના રોજ થયેલ છે. સને ૧૯૮૧ની આસપાસ શ્રી ભાયાવદર પાંજરાપોળનો વહીવટ ગૌ સેવા સમાજના ટ્રસ્ટના નેજા હેઠળ ગૌપ્રેમી ગામના આગેવાનોના સહકારથી નિભાવ તથા સાર સંભાળ ચાલે છે.
 
 
સને ૧૯૬૩માં ગૌ સેવા સમાજ ટ્રસ્ટના પહેલા પ્રમુખ સ્વ.નાથાલાલ શામજી માકડીયા હતા. એ વખતના ટ્રસ્ટી સ્વ.છોટાલાલ ત્રિભોવમદાસ શાહના વારસદારોએ શ્રી ભાયાવદર પાંજરાપોળ આ ગૌ સેવા સમાજ ટ્રસ્ટને સોંપી દીધેલ છે.
 
 
હાલના પ્રમુખ શ્રી સવજીભાઈ કુરજીભાઈ મારસોણીયા તથા બીજા પ્રમુખ શ્રી બાબુભાઈ કુરજીભાઈ જીવાણી છે.
 
 
આ સંસ્થાની મુખ્ય આવક ગૌ-પ્રેમીઓ તથા કીર્તન દ્વારા આર્થિક સહાય થાય છે. હાલ આ સેસ્થામાં આશરે રપ૦ થી ર૬૦ આસપાસ પશુઓનો નિભાવ થાય છે. હાલ આ સંસ્થા પાસે આશરે વીસ વીઘા જમીન છે. પશુઓ સારી રીતે રહી શકે તથા ટાઢ, તડકો, વરસાદમાં પશુઓને મુશ્કેલી ના પડે તે માટે તેવા પાકા શેડ બનાવેલ છે. ઘાસચારાના સંગ્રહ માટે પાકા આર.સી.સી.ના ગોદામ બનાવેલ છે. ગૌ-પ્રેમી ભાઈ-બહેનોના સહકારથી આ સંસ્થાનો વિકાસ થયેલ છે.